Thursday, April 30, 2009

મારા જીવનના ઘડવૈયા

મિત્રો, આજે હું તમને મારા ગુરૂઓનો પરિચય કરવા જઈ રહ્યો છું. બાલમંદિર થી કોલેજ સુધી મને આજની પ્રિસ્થિતી સુધી પહોચાડવામા મને જેણે જેણે ્મદદ કરી છે તેમાં થી મોટા ભાગના ગુરૂઓનો ્બની શકે ત્યાં સુધી ટુકમાં પરિચય અને તેનું મારા જીવનમા પ્રદાન અહી મુકુ છુ. પણ આ મારી લાગણિઓ સાથે જોડેલા પ્રશંગો છે માટે ક્યાંક લાંબુ ્લખાય જાય તો ચલાવી લેજો.

હું ત્યારે ૩-૪ વર્ષનો હોયશ. મારી મમ્મી મને બાલમંદિરમા મુકવા આવી હતી. તે મારો પહેલો દિવસ હતો ઘરની બહાર. મારા કરતા મમ્મીને વધુ ભારે લાગતું હતું. હું જ્યાં સુધી છુટતો નહી ત્યાં સુધી તે ત્યા જ બેસી રહેતી. અમારા પ્રિન્સીપાલ "વાસંતી્બેન દેસાય" મોટીબેનને તેમને પુછ્યું કે તમે ક્યા સુધી આમ બેસી રહેશો ? તમે ચિંતા છોડો હું તેને (એટલે કે મને) તમારા કરતા પણ વધુ લાડથી રાખીશ. અને તેમણે આ વચન નિભાવ્યું અને આજ સુધી નિભાવે છે. સ્કુલના ૭-૮ વર્ષ પછી પણ .આજે તે વાતને ૨૫ વર્ષ થવા જાય છે. આજેય મોટીબેન પાશેથી તે જ મમતા મળતી રહે છે. જ્યારે પણ હું તેમની પાસે જાવ છું મને એટલી જ હુંફ મળે છે જેટલી મમ્મીના ખોળામાં મળે છે. મારા દરેક પ્રસંગોમા તે હકથી મારી બાજુમા ઉભા રહે છે. એટલો જ સ્નેહ મને આજે પણ આપે છે જેટલો તે મને બાલમંદિરમા આપતા. ખરેખર મોટીબેન આજે જો કાઇ મિસ કરતો હોવને તો તે છે તમારા બાળગીતો. મને ઘણી વાર થાય છે કે તમારી પાસે આવુ અને તમને કહું એક દિવસ માટે મને બાલમંદિરમા બેસવા દો અને તમારા બાળગીતો સાંભળવા દો. હવે વધુ તમારે વિષે નહી લખી શકું.

કદાચ મોટીબેનનો જે સ્નેહ મને મળ્યો તેના મળ્યો હોત તો હું ભણવાનું શરૂ ના કરી શક્યો હોત. પણ તે પછી પણ મારૂ સ્કુલે જાવાનું ક્યા નક્કી હતું જો મને નઝમાબેને ના રાખ્યો હોત. મોટીબેન પછી અને તેના જેટલો જ મને સ્નેહ નઝમાબેને આ્પ્યો છે અને હજી આપતા રહે છે. મને ખ્યાલ છે હું ૨-૩ ધોરણમા હતો ત્યારે એક દિવસ મને શિ઼ક્ષા થયેલી ત્યારે હું નઝમાબેનના ક્લાસમા જઈને બેસી ગયો હતો. મે જીદ્દ કરી હ્તીકે હું હવે તેનો ક્લાસ ક્યારે ય નહી છોડું. મને તેમણે સમજાવી-ફોસલાવીને પાછો મારા ક્લાસમા મોકલી દિધો હતો અને કહ્યું હતુ કે જ્યારે પણ તને ઇચ્છા થાય મારા ક્લાસમા આવી જાવાનું. પછી જ્યારે પણ મારુ મન મુંજાતુ ત્યારે તેની પાસે જઈને બેસી જાતો. તેનો સ્નેહ અને હુંફ મને આજેય એજ પ્રમાણમા મળે છે જે ત્યારે મળતા.

ધો.૧ મે કર્યું ના હતું. સીધો જ ધો.૨મા આવ્યો હતો. તૂપ્તિબેન મારા ક્લાસ ટીચર હતા. હું જ્યારે ભણતો ત્યારે અત્યાર જેવું ભણવાનું ટેંશન ના હતું. નિરાંત હતી. મને યાદ છે હું ABCD ધો.૨ કે ૩ મા શિખ્યો હતો. ધો.૩ મા મારા ક્લાસ ટીચર ડાકીસર હતા. તે અમેને રોજ છુટતા પહેલા વાર્તા કહેતા. સાથે તેનો બોધ પણ કહેતા. ક્યારેય મારતા નહી. એટલે અમને બહુ ગમતા. ધો.૪ માં ક્લાસ ટીચર ડાભીસર હતા. બહુ મારતા. પણ શિખવાડતા પણ એટલુ જ સારૂ. ડ્રોઇંગના ખાટુ. સારા અક્ષર માટે બહુ આગ્રહ. મારા અક્ષર બહું ખરાબ એટલે બહું માર પડતો મને. સોરી ડાભીસર તમારો માર પણ મારા અક્ષર સુધારી ના શક્યા કાસ કે તમે મને થોડી વધુ શિક્ષા કરી હોત તો. આજે પણ ડાભીસર જ્યારે પણ મળે છે ત્યારે મને મારા અક્ષરનું પહેલા કે છે અને પછી તેના માર નું.

ધો.૫માં ભુરાસર ક્લાસ ટીચર હતા. માર પ્રત્યે તેમને અનહદ પ્રેમ. મારા બધા જ તોફાનો દરગુજર કરે અને પ્રમથી ભણાવે. ક્યારેક પ્રેમથી મારે પણ ખરા. મને ખ્યાલ છે વેકેશનમા અમારો પ્રવાસ જાવાનો હતો પણ મારે ત્યા ઘરે પ્રસંગ હતો એટલે હું ના જઈ શક્યો તે માટે તે બહુ નારાજ થયા હતા. ધો.૬મા ત્યારે સ્વ.જોષીસર ક્લાસ ટીચર હતા. અમે બધા તેની પાસે ભણવા માટે બહુ ઉત્સાહીત હતા કારણકે તે અમારી સ્કુલના હીરો હતા. પણ ઇશ્વરને તે મંજુર ના હતું. વેકેશનમા જ તેનું એક્સિડન્ટ થતા તે આ દુનિયા છીડી ને જતા રહ્યા. કદાચ આવતા જન્મમા મોકો મળે.

ધો.૬માં કેતનસર અમારા ક્લાસટીચર હતા. ગણીતના ખા્ટુ અને મારો ગણીત પ્રીય વિષય. બહુ મજા અવતી તેની પાસે ભણવાની. મારતા પણ એટલા જ અને શિખવાડતા પણ એટલા જ પ્રેમથી. ધો.૭માં સોલંકીસર સાથે મારે કદાચ પહેલેથી જ ગ્રહ મળત ના હતા. બહુ માર ખાધો કારણ કે હું કોઇ દિવસ હોમવર્ક કરીને જાવ નહી,સ્વાધ્યાયપોથી ઉતારૂ નહી,પાકીનોટ બતા્ડુ નહી એટલે બહુ મારે. છેલ્લે કંટાળીને મને તેણે તેના ક્લાસમાથી બીજા ક્લાસમા મોકલી આપ્યો. છતા પણ આજે પણ જ્યારે પણ મળે છે તે ત્યારે એટલા જ હુંફથી વાતો કરે છેં. હું જ્યારે તેને કહુ સર તમારો બહું માર ખાધો ત્યારે તે કહે છે કે તમે બધા વિધ્યાર્થી એવા હતા કે અમે હકથી મારી શકતા આજે એવું ક્યાં ? કદાચ એની વાત સાચી છે. આજે તો સર વિદ્યાર્થીને એક ઝાપટ મારે ત્યાં તો છાપ અને ટીવીમા આવવા મંડે.

આતો થયા મારા ક્લાસ ટીચર. તેના સિવાય નીરૂબેન,ઉલ્લાસસર,વિનોદસર,ડોડીયાસર,વસંતસર,દિવ્યાબેન વગેરે પાસેથી હું ઘણૂ શિખ્યો છું. મને યાદ છે હું ધો.૫મા હતો ત્યારે ગુજરાતીની એક કવિતા મને નોતી આવડી અને વિનોદસરે જે માર્યો છે મને. આજે પન તે કવિતાતો યાદ નથી પણ તેનો તે માર મગજમા અકબંધ છે. ઉલ્લાસસર નામ પ્રમાણે જ હંમેશા મોજ કરાવતા. હું ક્યારેય હોમવર્ક ના કરતો પણ નિરૂબેનનું હોમવર્ક કાયમ કરી નાખું. કારણ કે તેની પાસેથી માર ખાયને છુટાતું નહી. તે તેની સામે બેસીને ૫-૧૦ વાર લખાવે. ડોડીયાસર પી.ટી.ટીચર જતા એટલે મગજ પણ આર્મીમેન જેવો જ. બધાને બહું મારતા પણ મારી છાપ તેની પાસે બહું સારી એટલે મારો ક્યારેક વાંક હોય તો પણ મને સમજાવીને જવા દે. વસંતસર અને દિવ્યાબેન તો ભગવનના માણસ. ક્યારેય મારે નહી એટલે બહુ ગમે. આજે પણ મને એટલો જ લાડ આપે.

ગીજુસર મને ટ્યુશન આપવા આવતા. ધો૨ થી જ તે મારે ઘરે મને ભણાવવા આવતા. મારા ગણીત અને વિજ્ઞાન ના પાયા તે છે. ગણિતની ચાવીઓ અને સુત્રો જે તેમણે મને શિ્ખવ્યા છે તે આજે પણ મને યાદ છે. મારા ભણતરમા સૌથી મોટો ફાળો તેનો છે અને તેનું ૠણ ક્યારેય ચુકવી નહી શકુ. અ્જયસર(અમારા પ્રિન્સીપાલ મોટીબેનના સન) કાઈ ભણાવતા નહી પણ અમને સિધા રાખતા. તે કહેતા કે જીવનમા સંસ્કાર, શિસ્ત અને પછી શિક્ષણ આવે છે. તે મને સંસ્કાર અને શિસ્તની શિક્ષા દેતા. મા્થામા તેલ નાખ્યું છે કે નહી,નખ અને વાળ કાપાયેલા છે કે નહી. યુનિફોર્મ બરો છે કે નહી, સ્કુલે સમયસર આવ્યા છે કે નહી. આ બધા ઉપરાંત અમારા જેવા સ્કુલના સૌથી ્તોફાની બારકશોથી બિજા છોકરાવોની રક્ષા કરતા. તેના હાથમા આવ્યા એટલે મરો. પેન્ટમા પી થઈ જાય ત્યા સુધી માર પડતો. એટલે કોઇ ફરિયાદ કરવા ઓફીસમા જાય તો અમે જોઈ લઈએ કે મોટીબેન છે કે નહી. જો મોટીબેન હોય તો અમે બચી જાતા કારણ કે તેની પાસે અમારી હોશીયાર વિદ્યાર્થી તરીકે છાપ અને તે હોય ત્યારે અજયસર ક્યારેય ખુલાશા ના પુછે તે તેમની મહેરબાની હતી. આજે પણ જ્યારે હું મોટીબેન અને તેમને મળવા જાવ ત્યારે મોટીબેન માર વખાણ કરે ત્યારે અમે બન્ને એકબીજાની સામે જોયને મનમા મનમા હસીયે. છતા આજે પણ તે મોટીબેનને તેમની સામે માર વખાણ જ કરે. કદાચ તેમનો માર અને મોટીબેનનો સ્નેહના મળ્યો હોત તો હું આજે જ્યા છુ ત્યા હું પહોચી શક્યો હોત ? કદાચ જવાબની કલ્પના કરવી પણ માર માટે શક્ય નથી.

આજે બસ આટલુ જ. હવે પછી માધ્યમીક અને ઉચ્ચત્તર માધ્યમીક અને કોલેજના ગુરૂઓ વિષે જણાવીશ.

Friday, April 10, 2009

પ્લેજરીઝમ

પ્લેજરીઝમ એટલે બીજાના વિચાર કે લખાણની ચોરી કરી તેને પોતાના તરીકે છાપી મારવાનું કૃત્ય. આજકાલ ગુજરાતી બ્લોગ જગતમાં તેની ફેશન થઈ પડી છે. નવોદિતોથી લઈને મગજના ડૉક્ટરો પણ આવી રીતે મહેનત કર્યા વગર અન્યની રચના/વિચાર પોતાના નામે ચડાવી સસ્તી પ્રસિદ્ધી પામવાનો પ્રયાસ કરતા જોઈ શકાય છે.
વર્ડપ્રેસ પર ટોપમાં દેખાતા કેટલાક બ્લોગ ફક્ત કૉપી-પેસ્ટ વડે ચાલે છે. વસાવેલા પુસ્તકોમાંથી ગમતી રચના શોધીને તેને ટાઈપ કરી તેમાંથી ભૂલો જોઈ-સુધારી, યોગ્ય ફોર્મેટમાં બ્લોગ પર પોસ્ટ કરવામાં સારો એવો સમય અને ચીવટ માંગી લે છે. જ્યારે નકલખોરો આવી મહેનત કરવી ગમતી નથી. તેઓ અન્ય બ્લોગ પર મુકાયેલી રચનાની ઊઠાંતરી કરી પોતાનો બ્લોગ સમૃદ્ધ કરતા રહે છે. કૃતિની કે બ્લોગની મૌલિકતા જાણ્યા વગર તેને બિરદાવનારા ભાવુક વાચકો પણ મળી રહે છે તે ખરેખર દુઃખની વાત છે.
ઊઠાંતરીનો બીજો પ્રકાર છે રચના સાથે તેના મૂળ લેખકનું નામ ન લખવું જેથી ભોળા વાચકો બ્લોગરની રચના સમજીને વાહ વાહ કરે! આપણે ફરિયાદ કરીએ તો કહે લેખક/કવિનું નામ ખબર નથી તેથી નથી લખ્યું! રચનાકારના નામની જાણ ન હોય તો “અજ્ઞાત” લખી શકાય પણ તે માટે દાનત હોવી જોઇએ.
.
તફડંચીકારો વિશે આપના મંતવ્ય જણાવો. આપને પણ આવા અનુભવ થયા જ હશે. તેની વિગતો સાથે ફન એંડ જ્ઞાનના કોમેન્ટ બોક્ષમાં જણાવશો.વિનયભાઇ ખત્રીને આ સાઇટ ઉપર..
http://funngyan.com/2009/03/24/one_question/#more-371
નોંધ- મિત્રો આપણે પણ કંઇક આવું જ તો નથી કરતા ને?
જરા વિચારો કે કોઇની રચના ને આપણે આપણા નામે ચડાવીને બિજાને મોકલીએ તો શું આપણે મહાન બની જઇએ છીએ?
ના ખરી મહાનતા તો તે કાવિને તેની રચના બદલ ક્રેડિટ અપાવવામાં જ છે.તો હવે પછી નિશ્ચય કરો કે કવિના નામ સાથે જ ગઝલો પોસ્ટ કરીશું.(બિનલ)
.
આ વિશે મારા ઓર્કુટના એક મિત્ર જાગ્રતભાઇ કહે છે કે- એક સર્જકને નામ સિવાય કશું ના મળતુ હોય ત્યારે આપણે તે પણ ના આપ્યે તે એક મોટો અન્યાય કહેવાય તેના માટે. "
-જાગ્રત
.
કાયમ સંપર્કમાં રહેશો.
-બિનલ

બિનલબેન નો મેસેજ જેમનો તેમ અહી મુકુ છું. આ મહા કાર્યમા આપ પણ ફાળો આપશો.

મારા મિત્રો,મારી જીવન મુડી. ભાગ-૨

હાયસ્કુલમાં મારે મિત્રો શોધવા માટે બહુ મહેનત ના કરવી પડી. મારા પ્રાથમિકના અમુક મિત્રો સાથે જ હતા. પણ લોચો તે થયો કે ત્યાં ૩ વર્ગ અને અટક પ્રમાણે બધા વર્ગની ગોઠવણ થાય એટલે હું તે બધાથી જુદો પડી ગયો. તેમ છતા મને ત્યાં પણ મિત્રો મળી જ રહ્યા. તેમા સૌથી વધારે મને મારુ જે ગૃપ બન્યું તે જોરદાર હતું. હું, જય,મનોજ,રણજીત, આશિષ,દિપક તે ઉપરાંત હાર્દિક,પ્રાકાશ અને પરેશ તો હતા જ. બહું ધમાલ કરી છે અમે બધાએ. તે પછી સ્કુલ હોય કે ટ્યુંશન માર પણ એટલા જ ખાધા છે અમે. મને યાદ છે એક વખત અમે રિસેસમાં આંબલી તોડવા ગયા હતા અને પથ્થર એક ડોસીમાં ને લાગ્યો હતો. અમે ત્યાંથી ભાગ્યા પણ તે અમારા માથી દિપકને જોય ગયા હતા. સ્કુલે આવી ને ફરીયાદ કરી. સરને ૧૦૦ % ખાતરી હતી કે આ કારસ્તાન આમારૂ જ છે. ઓળખ પરેડમાં તે દિપક એકને ઓળખી ગયા. પેલા ને બહુ માર પડ્યો છતા તેણે બીજા કોઈ નું નામ ના આપ્યું. સ્કુલ છુટ્યા પછી અમે ્બહાર ગ્રાઉન્ડમાં તેની સંમાન સભા યોજી હતી. ત્યારે જ સર ત્યાં આવી પહોચ્યા અને તેણે પણ તે સભામાં ભાષણ આપ્યું. અમે છેટ તેના ઘર સુધી તેને ઉચકીને લઈ ગયા હતા.

અમારે કોઇ પોગ્રામ હોય અને નાસ્તો મગાવાનો હોય તો ૩ ગણો મગાવો પડે. કારણ કે આશીષ એકલો જ ૨ ભાગનો નાસ્તો ચટ કરી જાય. એ એટલો જાડો હતો કે સ્કુલ બેંચમા ૩ ની જગ્યા એ તે એકલો જ બેસતો. રસ્સા ખેંચમાં તે એકલો અમને બધા ને હરાવી દેતો. કબડ્ડીમા તે જેની ટીમમાં હોય એની જીત પાક્કી. અમે બહાર ગ્રાઉન્ડમાં એક જગ્યાએ કબડ્ડીનું મેદાન બનાવ્યું હતું. તેમા લોન પાથરી જાતે માવજત કરી ને તેને સુંદર બનાવ્યું હતું. રોજ સવારે સ્કુલ પહેલા અને છુટ્યા પછી અમે ત્યાં રમતા. એક વાર તે ગ્રાઉન્ડ પર જીલ્લા કક્ષાની પ્રતિયોગીતા રમાયેલી ત્યારે અમને ગ્રાઉન્ડ તૈયાર કરવા માટે ઇના્મ મળેલું. એક વાર ચોપાટી નો પોગ્રામ કરેલો, સાયકલ ઉપર નાસ્તો બાંધી અને એક સાયકલ પર બે-ત્રણ જણા બેસીને અમે ગયેલા. નાસ્તામા લસણીયા કેળા-બટેટા હતા. અમે રમત રમતા હતા અને હાર્દિક અને આશિષ નાસ્તો જ કરતા હતા.

જય,રણજીત અને મનોજ ક્યારેક ન કરવાનું કરે અને પછી ગમે ત્યારે મારી પાસે આવે. મારે તેના પ્રોબલેમ સોલ્વ કર્યે છુટકો. કા ઘરમા કાઇક બબાલ હોય કા સ્કુલમાં. તેઓ મને "વકીલ" જ કહેતા, ત્યારે પણ બોલવમાં મને કોઇ ન પહોચે. ગમે તેને ગમે તેમ વાત ગળે ઉતરાવી ને જ રહું. બદલામાં મા્રી બધી સ્વાધ્યાયપોથી અને પાકીનોટ પુરી કરવાની જવાબદારી તેમની. એકવાર શારિરીક શિક્ષણની સ્વાધ્યાયપોથી અમારે બધાને જ રહી ગઈ હતી.પથુસર જેટલુ સારુ શારિરીક શીક્ષણ ભણાવતા ્તેટલી જ સારી શારિરીક શિક્ષા પણ કરતા. એટલે તેમા કોઇ છટકબારી ચાલે તેમ ના હતી. સવાર ના ૩ વાગ્યા સુધી જાગી ને બધા એ માર ઘરે બેસીને સ્વાધાયપોથી પુરી કરી તેમ છતા મારી થોડી અધુરી રહી ગઈ હ્તી. સવારે વહેલા ઉઠીને મનોજ અને જય બેસી ગયા. એક પેઈજ પર જય લખે અને બીજા પેઈજ પર મનોજ બન્ને જોડે લખતા ગયા અને માંડ પુરી કરી. પથું સર કહે મને મારા આટલા સમયના શિક્ષણ ના અનુભવમાં આવી સ્વાધાય પોથી જોય નથી. એક જ પેઈજ ના બે અલગ અલગ પત્તા પર બે અલગ અલગ અક્ષરો. મે કહ્યું સર પહેલા અમારા જેવ વિ્દ્યાર્થી પણ ક્યા હતા. મને કહે કોની પાસે લખાવ્યું ? ત્યારે જય અને મનોજ કહે " સાહેબ આ તો વકીલાતની ફી છે ." આજ સુધી તેના જેવા ભણાવવા વાળા આને મારવા વા્ળા સર મે મારી જીંદગીમા નથી જોયા. અમાર માટે એક ગજ રાખતા અને તેનાથી અમને મારતા. કદાચ આજે કોઇ ને તે રીતે મારે ને તો તે સિધો પોલીસ ફરીયાદ કરે. અમે કોઈ દિવસ ઘરે પણ નથી કહ્યું. કારણ ઘરે પાછો માર ખાવો પડતો, પપ્પા કહેત તમે કાઈક કર્યું હોય ત્યારે જ સર મારે ને. અને કોઇ દિવસ સ્કુલની ફરીયાદ ઘરે લાવવાની નહી. ખરેખર આજે આવું શક્ય છે ?

૧૧-૧૨મા મા મને મારા બધા જ મિત્રો કે જે હાયસ્કુલમા હતા તે તો મળ્યા પણ આખા ગામમાં એક જ હાયર સેકન્ડ્રી સ્કુલ હોવાથી બધી જ સ્કુલના બીજા મિત્રો પણ મળ્યા. તેમા વંદુર દિનેશ જે બંદર પરથી આવતો, હનિફ, યુનુસ,આદમ,જીતુ,જીતેશ,જીતેન,કૌશિક,યોગેશ,ભટ્ટ હાર્દિક-વિશાલ,કમલેશ,પરમાર(જેનું નામ મને ક્યારેય યાદ નથી રહ્યું ), વગેરે મિત્રો મળ્યા. એક-એક મિત્ર સાથે પારિવારીક સંબંધ હોય એક-એક પુસ્તક લખાય એટલી યાદો સંકળાયેલી છે. બધી જ અહી લખવું શક્ય નથી. છતા વોરા સર ને કરેલી ધમાલ હંમેશા યાદ રહેશે. જે પછી ક્યારે ક કહીશ.

કોલેજ જીવન બધા માટે યાદગાર હોય છે. મારા કોલેજકાળને બે ભાગમાં વહેચી સકાય, વિદ્યાનગર અને માંગરોલ. વિદ્યાનગરમાં મને જે ગૃપ મળ્યું તે હજી પણ કાયમ છે. તમા વધારો થયો છે બધાના મેરેજ થયા પછી આજે અમારૂ ગૃપ બમણૂ થયું છે. હેતાન્સ,મનિષ,સાગર,ધિરેન,હું,અંકુર,મિહિર અને પાછળથી વિરલ અને ચંદ્રેશ. અમે બધા અલગ-અલગ જગ્યાએથી અલગ-અલગ સ્વભાવના મિત્રો પણ અમારે વચ્ચે એક ્ હ્યદયબંધ બંધાયો તે આજ સુધી અટુટ છે. કોલેજ કાળની તે મજા અને તે યાદો આજે પણ જ્યારે મળ્યે છીએ ત્યારે એટ્લા જ ઉત્સાહથી તાજી કર્યે છીએ. હેતાન્સ સાથે તો બીજી પેઢીની મિત્રતા નિકળી. તેના પપ્પા એટલે કે કેદારકાકા અને મારા પપ્પા કોલેજમાં સાથે ભણતા. આ સંબધ એટલા પારિવારીક થયા કે આજે પણ તેના ઘરેથી મારા ઘર જેટલી જ હુંફ મને મળે છે.

માંગરોલ પાછો આવ્યો ત્યારે સૌથી વધુ તો હું મારુ ગૃપ મિસ કરતો હતો. પણ મારો ત્યાં મિત્રોએ મને ક્યારેય મને તે જણાવ દિધુ નથી. પ્રબોધ,લાલો(કેયુર),પરાગ,જીતું(GP),મયુર,અલ્પેશ,યામીન, બધા જ એક એક થી ચડીયાતા મિત્રો મળ્યા. એક-એક દિવસ અમે માણતા અને નાની સમસ્યાઓ ને મળી ને હલ કરતા. મને માર આ ગૃપથી મને ફાયદો એ થયો કે મારમા આત્મસંયમ આવ્યો. બધા જ એટલા મધ્યમ વર્ગમા થી આવતા હતા કે ભણવાની સાથે કામ કરતા હતા. પાછા બધા સ્વમાની એટલે મારે તેમની જેમ હરેવું પડે. અમે બધા બહું ઓછા નાણામાં વિપુલ આનંદ મેળવતા જે અમારા માતે એક પુર્વશરત હતી. ૧ રૂપિયાના પાણીના પાઉચમાં પણ લાખોનો આનંદ અમે મેળવતા. આજે પણ જ્યારે હું માંગરોલ જાવ છું ત્યારે બધા ભેગ મળીને તેવો જ આનંદ મેળવીયે છીએ અને જ્યારે પણ તે બધા ભેગા થાય ત્યારે ફોન પર બહું લાંબી વાતો કરીયે છીએ.

મિત્રો આ તો બધાનો નાનકડો એવો પરિચય થયો. બધા જ વિષે હું લખિશ પણ હમણા નહી, મારી આત્મકથામાં. હવે પછી મારા અભ્યાસ અને તેને જોડતા મારા ગુરૂ જનોનો પરિચય અહી મુકીશ. કારણ કે તેઓ પાસે થી જે સંસ્કાર શિસ્ત અને શિક્ષણ મેળવ્યા છે તેના થકી જ હું આજે અહી છું.

Thursday, April 9, 2009

મારા મિત્રો,મારી જીવન મુડી.

કદાચ મારા જીવનમાં મે કાઈ પામ્યું હોય તો તે મારા મિત્રો છે. નાનપણથી મિત્રોથી ઘેરાયેલો રહ્યો છું. આજે અમુક મિત્રો જોડે તો મિત્રતા થયા એને ૨૫ વર્ષ થયા છે. બધા જોડે જીવંત સંપર્ક આજે પણ કાયમ છે. હા,બધા પોત-પોતાના કામમા વ્યસ્ત રહે છે પણ તેમ છ્તા જ્યારે પણ સમય મળે છે તે્મની સાથે તેજ હુંફ થી વાતો કરી લવ છું. કદાચ સમય અને ઉમરની સાથે અમારા બધાના સંબંધોમાં એક પરિપક્વતા આવી છે. પહેલા જે નાની નાની બાબતો પર બાળ સહજ કીટ્ટા-બુચા થતા ત્યાં હવે એક બીજાને સંભાળવાની ભાવના જાગી છે. કદાચ મિત્રોની સાથે-સાથે અમારી મિત્રતા પણ હવે બાળક માથી એક જવાબદાર વ્યક્તિમાં રૂ્પાંતરીત થતી જાય છે.

મને યાદ છે, એ કદાચ મારો પહેલો જ દિવસ હતો બાલમંદિરમાં(ત્યારે આજની જેમ Jr. કે Sr. K.G. જેવું ના હતું.). હું અને પ્રશાંત બન્ને બાજુ-બાજુમાં બેઠા હતા. ત્યારે મારી ઉમર ૩-૪ વર્ષની હશે. મને ત્યાં (અજય બાલમંદિર) જાવું જરાય પસંદ ના હતું. મમ્મી બહાર બેસી રહેતી અને હું અંદર રડતો. ત્યારે પ્રશાંત જોડે મારી દોસ્તિ થયેલી. મને યાદ છે ત્યાં સુધી તે નાસ્તામાં રોજ ક્રીમ વાળા બીસ્કિટ લાવતો અને મને તેમાથી આપતો. આજે પણ તે અને હું એટલા જ નજીક છે. ભલે તે ભણી ના શક્યો હોય પણ અમારી મિત્રતા તેને ક્યા આધીન હતી ? અમે કોલેજમાં હતા ત્યારે અમારી દરેક પાર્ટીમા તેને બોલાવતા. ્તે મને નાનામાં નાની વાત કરે અને હું પણ તેને મારી બધી જ વાત કરું. વચ્ચે થોડો સમય તે મારા થી દુર જરૂર રહેલો પણ આજે અમે બહુ નજીક છીએ. મને યાદ છે અમે T.Y.B.Com હતા ત્યારે યુથ ફેસ્ટીવલમાં અમારુ ગૃપ નાટક (ખરેખર નાટક જ હતું તે) કરવાનું હતું ત્યારે તે કોલેજમાં ના ભણતો હતો છતા તેને અમે સાથે લઈ ગયા હતા. બહું મજા આવી હતી ત્યારે. કદાચ પ્રશાંત માર જીવનનો એક અમુલ્ય હિસ્સો છે.

અમે બધા જ લગભગ ૧૦-૧૫ જણા ઉમરમા નાના હતા માટે ધો. ૧ મા પ્રવેશ મેળવી શક્યા ન હતા. હું,પ્રકાશ, પરેશ, જાગૃત,પંકજ બધા નો લગભગ એકાદ મહીના ના અંતરે જન્મ થયો હતો. અમે બધા એ "ઉપર"થી પરિક્ષા આપીને ધો.૨ મા પ્રવેશ લિધો હતો. કદાચ એટલે જ અમારી મિત્રતા બહુ ગાઢ બની હતી. પંકજ વિષે તો આગળ જણાવી દિધુ છે. પ્રકાશ અને પરેશ બન્ને કાકા-બાપા ના ભાઈ ઓ. બન્નેના સ્વભાવમાં જમીન આસમાન નો ફરક. પરેશનો એક પણ દિવસ તોફાન વગર ખાલી ના જાય અને પ્રકાશે કોઈ દિવસ તોફાન કર્યું હોય તે મને યાદ નથી. માટે જ આજે તે ડો. પ્રકાશ સૌમયા છે. જ્યારે હું અને પરેશ ..... તેમ છતા અમે બહુ મજા કરી છે. પ્રાથમિક, માધ્યમિક સુધી અમે ત્રણેય સાથે હતા. હું અને પ્રકાશ સાયન્સ કરવા માટે વિ.વિ.નગર ગયા. પણ કદાચ મારે પ્રકાશ કરતા પરેશ સાથે વધુ લેણા-દેવી હશે. ૩ મહિના મા હું પાછો આવી ગયો અને હું અને પરેશ પાછા ભેગ થઈ ગયા. આજે પ્રકાશ જ્યારે ડોક્ટર બની ગયો છે ત્યારે ક્યારેક મળે છે. જ્યારે પરેશ , હું જ્યારે પણ માંગરોલ જાવ છું ત્યારે અચુક મળે છે.

જાગૃત અને હું એક નામ હોવાથી બહું ગોટે ચડતા. પાછુ તે એકદમ મારા ઘરની સામે જ રહે. નાનપણ થી જ સાથે મોટા થયેલ અમે. નાના હતા ત્યારે કોઇ મારા ઘરે મારુ પુછવા આવે તો માર ભા્ભુ તેને સામે તેના ઘરે મોકલી દે, કારણ કે ઘરમા મારુ નામ બીજુ હતુ અને મને મારા નામે કોઇ ના ઓળખે. સ્કુલમા પણ ક્યારેક મે તોફાન કરેલ હોય અને કોઇ ફરિયાદ કરવા જાયે ઓફિસમા અને અજય સર (અમાર પ્રિન્સિપાલ) તેને પુછે કે કોણે મારીયુ અને તે મારુ નામ આપે તો સામો પ્રશ્ન પુ્છાય કે "શાહ એ કે વસાવડા એ" ત્યારે કોઇ વાર ફરીયાદી વસાવડ બોલી દે તો મારા બદલે તેને માર પડતો. હા, કોઇ વાર મે પણ તેના બદલે માર ખાધેલો છે હો પણ તેવું બહુ ઓછુ બનતું. પ્રાથમિક પછી માધ્યમીકમા પણ અમે જોડે જ હતા. "વિવેકાન્દ વિનય મંદિર" મા અમે બહુ મસ્તિ કરી છે. ઉચ્ચ માધ્યમિકથી તે બહાર અભ્યાસ માટે જતો રહ્યો. તેણે M.B.A. કર્યું અને આજે તે કોલેજ મા લેક્ચરર છે. છતા અમે આજે પણ એટલા જ નજીક છીએ. જેટલા અમે નાના હતા ત્યારે.

હું અને નિઝામ સાથે ઘોડાગાડીમા જતા-આવતા. અમારી વચ્ચે એક અનોખુ આકર્ષણ હતું. એક સામાન્ય મિત્રતા ક્યારે ખાસ મિત્રતામાં પરિવર્તન પામી તે મને ખબર જ ના પડી. કદાચ હું તેની નજરમા તેનો બેસ્ટ ફેન્ડ હતો જ્યારે પ્રમાણીકતાથી કહું તો મે ક્યારેય તે દર્જાને લાયક કોઈ કામ તેના માટે કર્યું ના કતું. તે મને તેની નાના મા નાની વાત કહેતો. મારા માટે તે બધુ જ કામ પડતુ મુકીને ગમે તે કરવા તૈયાર રહેતો. પણ મને અફસોસ છે કે જ્યારે પણ તેને જરૂર પડી છે ત્યારે હું તેની સાથે નથી ઉભી શક્યો. કદાચ એનો મને જીવનભર અફસોસ રહેશે.

હાર્દિક ધો.‍૬ મા મારી સાથે ભણવા આવ્યો. તે નવો-નવો હતો માટે કોઇ તેનુ મિત્ર ના હતું માટે થોડો ચિડાયેલો રહેતો. મે તેને મિત્ર બનાવ્યો અને કુદરતી તે મારા ઘરની બાજુમાં રહેવા આવ્યો. વચ્ચેના ૬ વર્ષતો એવા ગયા કે લોકો અમને બન્ને ને એક બીજા ના નામથી ઓળખવા લાગ્યા. અમે બન્ને ભેગા ને ભેગા જ હો્યે એટલે મને હાર્દિક કહે અને તેને જાગ્રત. કદાચ તે મારો પહેલો બેસ્ટ ફ્રેન્ડ, મે લખવાનું ચાલુ કર્યું ત્યારે સૌથી પહેલા તેને ખબર પડી. ધો. ૧૧ મા જ્યારે તેનું એક્સિડન્ટ થયું ત્યારે હું તેને રોજ મળવા જાતો. અમે કલાકો સાથે વાતો કરતા. વચ્ચે હું જાવાનું બંધ કરી દિધું ત્યારે તેણે પપ્પાને ફરિયાદ કરી મને બહું સંભળાવ્યું હતું. ધો ૧૧ મા અમે વોરા સર ને ત્યાં બહું ધમાલ કરી છે. પછી તે રાજકોટ જતો રહ્યો અને અમે બહું મળી શક્યા નહિ. પણ તેની સાથે ૬ વર્ષમાં જ આખા જીવન ભરની યાદો સમેટી લિધી છે.

મિત્રો પ્રાથમિકમા ભણતો ત્યારે મિત્રોનું લિસ્ટ તો બહુ લાંબુ છે, તે દરેકની વાત અહી કરીશ તો વાંચીને તમે કંટાળી જશો. હા, આ તબક્કે તેમનું નામ લેવનું ના ચુકતા અહી તેમના નામનો ઉલેખ જરૂર કરીશ.
"પંકજ, પ્રકાશ, પરેશ,સ્વ. વાળા પ્રકાશ, વોરા ઇમરાન, જાગૃત, અજય, પ્રશાંત, નિઝામ, સ્વ. હનિફ, ઇમરાન, ફેઝાન, સાહીદ, હાર્દીક , જસ્મિન, અંકુર,કલ્પેશ,જય વગેરે. હવે પછી મારા માધ્યમિક અને કોલેજ ના મિત્રોનો પરિચય આપીશ.

Sunday, April 5, 2009

ફરી બાળક બની જઈએ.


ચાલો સાથે મળી ભગવાનના
વારસ બની જઈએ.
શરત બસ એટલી છે
સૌ પ્રથમ માણસ બની જઇએ.
હવે બસ એક રસ્તો છે
તમાશા દૂર કરવાનો
બધાયે વેશ ખંખેરી
ફરી બાળક બની જઈએ.

- હિતેન આનંદપરા


આજે યથાર્થનો એન્યુલ ડે ્હતો. આજ સુધી કોઇ પણ આવા પોગ્રામમાં હું એક પ્રતિયોગી તરીકે ભાગ ્ લેતો આજે એક પ્રતિયોગીના પિતા તરિકે આ મારા માટે એક નવો જ અનુભવ હતો. ઉત્સાહની સાથે એક અલગ પ્રકારની કંપન હતી. શું યથાર્થ બરોબર કરી શકશે ? તેના પ્રયત્નમાં તે નિષ્ફળ જાશે તો ? બધા તેના પર હ્સશે તો ? પણ પછી થયું કે જે થાવાનું હશે તે થાશે ચિંતા શું કરવાની. તેમ કરતા મને મારો પહેલો પોગ્રામ યાદ આવી ગયો.
અહી જો કે મારા પોગ્રામની વાત નથી કરવાનો, યથાર્થના પોગ્રામની જ વાત કરવાનો છું. એક દોઢ મહીના પહેલા સ્કુલ મિટીંગમાં આ પોગ્રામ અંગેની ચર્ચા થઈ ત્યારથી મને તો એકજ ચિંતા હતી કે આ કેમ થાસે ? તેને કોસચ્યુંમમાં કેમ ફીટ બેસાડાસે. કારણ કે ભુતકાળમાં થયેલા અનુભવોથી તે સાબીત થાતું હતુ કે આ દાળ આટલી સહેલાયથી નહી ગળે. ફેન્સીડ્રેસ કોમ્પિટીશનમાં તો તેણે જે તે કપડા પહેરીને જાવાની જ ના પાડી દીધી હતી અને સ્વતંત્રતા દિવસના પોગ્રામમાં તે ને જે તે કપડાને આધીન કરતા નાકે દમ આવી ગયો હતો. જ્યારે અહી તો તેને આખો કોસચ્યુંમ પહેરવાનો હતો. છ્તા એક આશા જીવંત હતી અને તે હતો તેનો ઉત્સાહ. કદાચ તે જ એક આશાનું કિરણ હતું અમારા માટે કે આ જ ઉત્સાહમાં તે કદાચ કાઈ નહી તો કોસચ્યુંમ પહેરી ને પણ સ્ટેજ સુધી જાય. પરંતુ તેનો ડ્રેસ આવ્યો અને તેને ટ્રાય માટે પહેરાવાની કોશિસ કરી ત્યારે તે આશા પર પણ ઠંડુ પાણી રેડાય ગયું.

કોસચ્યુંમ જોય ને પહેલા તો તે થયું કે તે યથાર્થને પહેરાવાનું છે કે ્યથાર્થને તેમાં પહેરાવાનો છે. તેને જોય ને જ યથાર્થે પહેરવાની ના પાડી દીધી બહું સમજાવ્યો તો કહે મારો ફ્રેન્ડ "ડક" બનવાનો છે માટે હું "ક્રો" નહી બનું. થયું, હવે શું ? પછી મે કીધુ જવા દો અત્યારે ત્યારે જોયું જાશે. જોત જોતામાં બે દિવસ ક્યાં જતા રહ્યા તે ખબર જ ના પડી અને આજનો દિવસ (રવિવાર-૦૫-૦૪-૨૦૦૯) આવી ગયો. રાતથી જે ટેન્સન હતું તે સવાર ના પહોરમાં સામે આવ્યું. પહેલા તો યથાર્થે ઉઠવાની જ ના પાડી દિધી. માન મનાવી ફોસલાવી ને ઉઠાડી નવડાવીને તૈયાર કર્યો ત્યાં સૌથી મોટી સમસ્યા સામે આવી તેણે કાગડા નો ડ્રેસ પહેરવાની જ ના પાડી દીધી. બહુ સમજાવ્યો પણ માને તો તે યથાર્થ કેવો. મને થયું ચાલ ને તેને બીજા કપડા પહેરી લઈ જાયે ત્યાં બધાને જોશે એટલે પહેરી લેશે. મારી ચોક્કસાય નો અભાવ મને આજે નડ્યો. આટલા દીવસ થી મને ખબર હતી કે તેનો પોગ્રામ ટાગોર હોલમાં છે પણ તે જાણવાની તસ્દી નાલીધી કે તે ખરેખર ક્યાં આવ્યો છે. આજે સવારે નિકળતા પહેલા એક વ્યક્તિને પુછ્યું તો તેણે મને ટાઉન હૌલનું જ સરનામું આપ્યું. હું ઝડપથી ત્યાં પહોચ્યો ત્યારે ત્યા હજી બીજા લોકો આવતા હતા. અમે તપાસ કરી તો બાળકો માટે પાછળ અલગ દરવાજો હતો. ત્યાં પહોચતા મને થોડું અજુગતુ લાગ્યું કારણ કોઈ કરતા કોઈ જાણીતા ન હતા. મે જ્યારે યથાર્થને તેમની સામે ધર્યો તો તેણે કોસચ્યુંમ વિષે પુછ્યું. મે કહ્યું છે તો તેઓ કહે અહી જ પહેરાવી દો. યથાર્થને પહેરાવ્યો ત્યારે તેણે કહ્યું કે આવો કોસચ્યુંમ તો અમારી કોઇ થીમ માં નથી ત્યારે મે પુછ્યું કે આ કીડ્સ ઝી એસ.જી.હાઈવે નો પોગ્રામ છે ? તો તેણે ના પાડી.
ભાગતા ભાગતા અમે બહાર નિકળ્યા અને પુછ્તા પુછ્તા અમે ટાગોર હૌલ પહોચ્યાં. ત્યા પહોચતા જ પરિચીત ચહેરાઓ ને જોતા શાંતિ થઈ અને હજી લોકો પહોચતા જ હતા એટલે નિરાંત થઈ કે આપડે મોડા નથી.

થોડી વાર પછી પોગ્રામ શરૂ થયો. એક પછી એક આયટમ રજુ થાવા લાગી. ્ શરૂ થી જ નાના ભુલકાઓ એ જમાવટ કરી દીધી. એક એક આયટમ જમાવટ વાળી આવતી ગઈ, પોએમ ઉપર ડાન્સ કરતા નાના ભુલકાઓને જોઈ ને મને મારા નાનપણના દિવસો યાદ આવી ગયા. આટલી નાની ઉમરના બાળકોને આટલી હદ સુધી તૈયાર કરવા તે કાઈ જેવું તેવું કામ નથી. આખો સ્ટાપ અહી તહી દોડા-દોડ કરતો જોઈ શકાતો હતો. એક આઈટમ પુરી થઈ નથી ત્યાં બીજી આયટમની તૈયારી શરૂ. જોત-જોતામાં યથાર્થની આઈટમ આવી. તેને અને તેના ફ્રેન્ડ સ્ટેજ ઉપર પણ મસ્તી કરતા જોયને મને શાંતિ થઈ. આ કેવી રીતે કરશે તે બાબત પર મને પુરી શંકા હતી. તે ટોપી સરખી કરતા-કરતા સ્ટેજ ઉપર આવ્યો અને અમને શોધતો જણાતો હતો. પાછળથી તેના મેમ તેને સુચના આપતા હતા તેમ તે કરતો હતો. તેનું ધ્યાન જેવું અમારી તરફ પડ્યું કે તરત જે ઉત્સાહમાં આવી એક દમ પરફેક્ટ કરવા મંડ્યો. તેણે જેટલુ કર્યું જેવું કર્યું તે તેના અને અમારા માટે ઘણૂ હતું. કારણ કે હું આ ઉમરે સ્ટેજ પર ગયો ના હતો અને પહેલી વાર જ્યારે સ્ટેજ ઉપર ગયો હતો ત્યારે આનાથી ૧૦% પણ કરી શક્ય ન હતો.
પાછ્ળ થી ઘણી આઈટમો રજુ થઈ તેમા પણ એક નાટક તો જોરદાર હતું. ૪-૫ વર્ષના બાળકો આટલા બધા સંવાદો મોઢે બોલે તે જોય ને જ મને તો નવાઈ લાગી. અને બાળકો ના માતા પિતાની આઈટમ જોય ને થયું કે આ લોકો એ કેમ કર્વૂ તે તેના બાળકો પાસે થી શિખવું જોયે. ખરેખર ઉત્સાહનો અભાવ દેખાય આવતો હતો. છેલ્લે-છેલ્લે રજુ થયેલ લાઈવ પોગ્રામમા પણ ખુબ મજા આવી નાના બાળકો ને કી-બોર્ડ પર સરસ મજાની ધુન વગાળતા જોય ને દીલ ખુસ થય ગયું.

આ પોગ્રામ જોય ને મને પણ પાછુ નાનુ બની જાવાનું મન થયું. નાનો તો બની ના શકુ પણ નાનપણની વાતો તો કરી શકુ ને. ચાલો તો હવે પછી એકાદ-બે મારા પરાક્રમની વાતો રજુ કરીશ.


Saturday, April 4, 2009

મારી પોસ્ટ "ગરવી ગુજરાતી કોમ્યુનિટીંમાં શું દિકરાઓ હંમેશા મા-બાપનું દિલ તોડતાં આવ્યાં છે?" ટોપિકમાં.

સોરી ફોર લેઈટ...
સપનભાઈ, અનુભાઇ અને મિત્રો ખુબ સરસ.
પહેલો પ્રશ્ન. શું આપણા સમાજમાં વૃધાશ્રમની સંખ્યા દિકરાએ માતા-પિતાના નામે બનાવેલા સામાજીક સંસ્થાનોથી વધુ છે ?

જવાબ :- ના, પરંતુ વર્તમાન સમયમાં કદાચ પરિસ્થિતી બદલતી હોય તેવું લાગે છે અને નજીકના ભવિષ્યમા કદાચ જવાબ હા મા પણ હોય શકે છે.

કારણ :- વર્તમાન સમયમાં કે જ્યારે સમાજનું જીવન ધોરણ ઉચું આવ્યું છે અને લોકોની જીવન જીવવાની પદ્ધીતીમા આમુલ પરિવર્તન આવ્યું છે ત્યારે જીવન પદ્ધતી(લાઇફ સ્ટાઇલ)ને અનુકુળ આવક ઉભી કરવા પતિ અને પત્નિ બેન્ને એ કમાવું જરૂરી બન્યું છે. એક સમય હતો કે જ્યારે સંયુક્ત પરિવારમાં માતા-પિતાના ૪-૫ બાળકો સહેલાયથી મોટા થઈ જાતા જ્યારે અત્યારે વિભક્ત કુટુંબમાં અને આવી સામાજીક પરિસ્થિતીમા એક સંતાનને પણ ઉછેરવા માતા પિતાએ બેબીસીટીંગ કે આયાના ભરોસે છોડવું પડે છે. દેખીતી રીતે ત્યારે માતા-પિતા અને સંતોનો વચ્ચે લાગણીનો સેતૂ નિર્માણ થાતો નથી અથવા તો સેતુ બંધાય છે એટલો કાચો હોય છે કે ભવિષ્ય તુટતા વાર લાગતી નથી. સંતાતના મનમાં ક્યાંક અંદર એક ખુણામાં એવી લાગણી ઘર કરી જાય છે કે અમને સૌથી વધુ જ્યારે જરૂર હતી ત્યારે મારા માતા પિતા પાસે અમારા માટે સમય ના હતો.

ઉપાય :- બની શકે તો સંતાનના જીવનના શરૂના ૩ થી ૫ વર્ષ તેમને આપો. જો કોઇ એક વ્યક્તિ(માતા અથવા પિતા) મોટે ભાગે માતા તેની સાથે જ હશે તો તેના અને માતા-પિતા બન્ને માટે સારૂ રહેશે. જો આ શક્ય ના હોય તો વ્યવસાયનો સમય એ રીતે ગોઠવો કે બન્ને માથી કોઇ એક સતત તેમની સાથે જ રહે. બહુ ઓછા સમય માટે તે આયા કે ઘરના બીજા સભ્યો પાસે રહે તેવું ગોઠવો. તેના અગત્યના કાર્યો જેવા કે જમવા-સુવાનું જો માતા પાસે થાય તો લાગણીનો સેતુ મજબુત રીતે બંધાસે અને ભવિષ્યમાં પ્રશ્નો ઉભા થાવાની શક્યતા ઓછી થાસે.

પ્રશ્ન નં.૨ :- શું આપણે જો વૃધાશ્રમ માટે દિકરાઓને દોષી ઠરાવતા હોય તો અનાથાશ્રમ માટે મા-બાપને દોષી ઠરાવીશું ?

જવાબ :- કેમ નહી, મારા મતે બન્ને પરિસ્થિતી એક જ જેવી છે. બન્નેમાં એક પાત્ર કોઇ પણ વાક વગર સજા ભોગવે છે જ્યા્રે બીજુ પાત્ર ઇચ્છા ના હોવા છ્તા આવું કરે છે. અને બન્ને સંજોગોમાં પરિસ્થિતી સમજ્યા વગર સમાજ ત્યજનાર પાત્રની નિંદા કરે છે.

કારણ :- કોઇ પણ પરિસ્થિતી વ્યક્તિએ પોતે ઉભી કરેલી હોય છે માટે તેના માટે વ્યક્તિ પોતે જ દોષીત હોય છે. "ખરાબ પરિસ્થિતી" એ પરિણામની જવાબદારી માંથી છટકવા માટે ઉ્પયોગમાં લેવાતો સૌથી પ્રચલિત શબ્દ છે. તમે આજે જે કાર્ય કરો છો તેના ભવિષ્યમાં આવતા પરિણામની જવાબદારી પણ તમારી જ છે. માટે જે કાઈ પણ કરો તે સમજી વિચારી અને પરિણામ ભોગવવાની તૈયારી સાથે કરો.
બીજુ લોકો આજે પરિણામની જવાબદારીથી ભાગે છે શું કામ ? સમાજ આજે ભુલ કરનારને સજા આપવામા કાઈ બાકી નથી રા્ખતું. પેલી કહેવતની જેમ "ચિભડાના ચોર ને ફાસીની સજા". તમે એક ભુલ કરી એટલે આજીવન સજા ભોગવવી પડે. સમાજમાં સહિ્સ્ણુતા નથી રહી. એક બાજું વ્યક્તિને ભુલના ્પરિણામની ચિંતા અને બીજી બાજુ સમાજના અત્યાચારની ચિંતા. ક્યારેક વ્યક્તિને સમાજની સૌથી વધુ જરૂર હોય ત્યારે જ સમાજ તેની સામે હોય છે અને પછી આવા આશ્રમોનું નિર્માણ થાય છે.

ઉપાય :- પહેલા તો સમાજે સહિસ્ણુ બનવું પડશે. જ્યાં સુધી આવુ ના થાય ત્યાં સુધી આવું થયા જ કરવાનું છે. સમાજની જવાબદા્રી ફ્કત આવા આશ્રમો બનાવાથી પુરી નથી થતી. પરંતું જે લોકો ભુલ કરે છે તેમને પોતાની ભુલ સ્વિકારવા આગળ આવે અને તેનો યોગ્ય દંડ ભોગવે તે માટે ઉત્સાહીત કર પડશે. હા, કામ મુશ્કેલ છે પરંતુ કર્યા વગર છુટકો નથી.