Monday, March 21, 2011

પ્રભુ મોરે અવગુન ચીત ના ધરો..



પ્રભુ મોરે અવગુન ચીત ના ધરો..

૧૦૦ % પરફેક્ટ વ્યક્તિ શોધવા જઈયે તો મળે ખરો ? જ્યારે આપણે ડગલે ને પગલે ફરફેક્શનની આશા જીદ્દની હદે રાખ્યે છીએ ત્યારે આ પ્રશ્ન કેમ નથી સુજતો ? “મને તો બધુ પરફેક્ટ જ જોઈએ” એવું કહેનાર વ્યક્તિ મોટે ભાગે પોતાની જાત ને જ છેતરતી હોય છે. એક્જેશમેન્ટ અને પરફેક્શન બન્ને જરૂરી છે પણ જીદ્દની હદ સુધી નહી. આપણે જે છીએ તેનાથી વધુ બહેતર થવા ના પ્રયાસો કરવા તેમા કાઇ ખોટુ નથી પણ આપણે જે નથી બની શક્યા કે પછી નથી બની શકવાના તેનો અફસોસ કરવો તે આપણી વર્તમાન ક્ષમતાનું અપમાન કરવા બરોબર છે. વર્ષોથી કહેવાતુ આવ્યુ છે અને આપણે સાંભળતા આવ્યા છીએ કે “નો વન પરફેક્ટ” અને “એવરીવન યુનિક” કોઈ પરીપુર્ણ નથી અને દરેક અનન્ય છે. તેમ છતા આપણે આપણા ભળતા જ અર્થો કાઢતા હોઇએ છીએ. કોક ને સલાહ દેતી વખતે “નો વન પરફેક્ટ-એવરીવન યુનિક” અને જ્યારે જાતની વાત આવે ત્યારે “વાય આઇ એમ નોટ પરફેક્ટ, આઈ મસ્ટ…” . I is alwas capital મા “is” મા જ i સ્મોલ આવે છે. આ બધુ તો જાતને છેતરવા માટે ના નુસખા છે. વિશ્વમા સૌથી મુર્ખ આપણે પોતે જ છીએ આપણે આપણી જાતને જેવા ઇચ્છીયે તેવી રીતે મુર્ખ બનાવી શકીયે છીએ.

દંભ,ગુસ્સો.ઇર્ષા,દ્વેષ, વગેરે શાસ્ત્રોમાં છપાયેલા અને ખુબ જ પરીચીત દુર્ગુણો છે. આ બધાના ઉદાહરણો હાલતા ને ચાલતા જરરે જોવા મળશે. FB ની જ વાત કરો તો કોઈની પ્રોફાઇલ ઇન્ફો વાંચતી વખતે તમને કેટલી વખત થયુ છે કે “આ વ્યક્તિએ તો સાવ હાંકી જ લીધુ છે ?” “હું લેખક-કવિ છુ અને મારા ત્રણ થી વધુ કાવ્ય સંગ્રહ, લઘુકથા સંગ્રહ, ગઝલ સંગ્રહ બહાર પડી ગયા છે.” :O ભાઈ સિધે સિધુ ક્યો ને કે આ બધુ એક-એક તમારૂ બહાર પડ્યુ છે. “મે કેટલીય ફીલ્મો લખી છે જેવી કે….” આવૂ લખી નીચે બે-ચાર જાણી અજાણી ફીલ્મોના નામ હોય અમુક ફિલ્મોના નામ વાંચી મગજ કશવું પડે કે આ ફિલ્મમાં હીરો કોણ હતો અને તે ક્યારે બહાર પડી હતી. આવી વ્યક્તિથી હું મોટા ભાગે દુર જ રહુ છુ કારણ કે ઉપરોક્ત બધા જ અવગુણો વિસ્ફોટક પ્રમાણમાં આવા લોકોમાં ભર્યા હોય છે.

આજે માર્કેટીંગનો જમાનો છે, તમે ૧૦૦ દેખાવ ત્યારે લોકો તમને ૫૦ માને અને ૧૦ ની કદર મળે પણ ૧૦ હોયે અને ૧૦૦૦ કે ૧૦૦૦૦૦ દેખાવો તે ક્યાનો ન્યાય ? ઉપરોક્ત બધા જ અવગુણો મારા માં પણ છે અને તેનો જાહેરમાં સ્વિકાર કરવાનો મને કોઈ સંકોચ નથી. મારા બેસ્ટ ફ્રેન્ડના બ્લોગ ઉપર મારા બ્લોગ કરતા વધુ કોમેન્ટ આવે ત્યારે મને પણ ઇર્ષા થાય છે. લોકો મારા સ્ટેટસ કે સ્ક્રેપ કે નોટ ને “લાઇક” કરે અથવા તો કોમેન્ટ પોસ્ટ કરે તેવી આંતરીક ઇચ્છા હોય છે. મારી ફ્રેન્ડલીસ્ટ લાંબૂ કરવાના બનતા પ્રયત્ન કરૂ જ છું. આ બધુ સ્વાભાવીક છે પરંતુ તેમ ના તવાનું ૧૦૦ % કારણ પણ હું જ હોઇશ તે પણ જાણુ છું. કોઈ સાચી સલાહ આપે ત્યારે સહસ્નેહ સ્વિકારૂ છુ અને તેનો અમલ કરવાનો બનતો પ્રયાસ પણ કરૂ છું. આપણે આપણા અવગુણોની મર્યાદા સ્વિકારી આગલ વધુવું પડશે અને તે જ તો વાસ્તવિકતા છે. અહી “પ્રભુ” એટલે તમારી પોતાની જાત. તેને સમજાવવી પડશે કે “ભઈલા તું જેવો છે તેવો પણ સાવ નકામો તો નથી જ એટલા તારામાં જે અનન્યપણૂ છે તેને બહાર કાઢ અને આગળ વધ.”

“૨૦મી સદી શારિરીક બીમારીની સદી હતી ૨૧મી સદી માનશીક બિમારી હશે” તેવું મારૂ માનવું છે. નાની નાની બાબતો પર હતાશ થઈ જાવું, ગુસ્સો આવવો, ધીરજનો અભાવ, તાંણ વગેરે આ બધા તેના પ્રાથમીક લક્ષણો છે. ટ્રક-બસનું સાયકલ કે બાઇક સાથે અકસ્માત થાય અને લોકોનું ટોળો તે ટ્રક-બસ સળગાવી દે તે હવે સામાન્ય થઈ ગયું છે. મોટા ભાગે પેલા ટોળા અને અકસ્માતમાં ભોગ બનનાર વચ્ચે કોઈ સંબધ નથી હોતો પણ પેલુ ટોળૂ એ હતાશ અને હારેલ-થાકેલ માનશીકતાનું પ્રતિબીંબ જરૂર પાડે છે. ઘરે પત્નિ કેટલાય વખત થી “મંગળસુત્ર” નું કહે છે પણ સોનાનો ભાવ સાંભળી સોનીની દુકાનના પાટીયા સામે પણ જોવાતું નથી” તેનો ગુસ્સો પેલા ટ્રક-બસ પર ઉતરે, “છોકરો કેમેરાવાળા મોબાઇલ માટે જીદ્દ કરે છે” તો તમે પેલા ટોળાનો હિસ્સો બનવા એલીજીબલ છો જ. ટુંકમાં પોતાની દરેક સમસ્યાનું સમાધાન તો નથી પણ જાણે તે સમસ્યા માટે બીજા કેમ જવાબદાર હોય તેમ તેનો બધો જ ગુસ્સો બીજા પર નિકળે. ૨૧મી સદીનો આ સૌથી મોટો અવગુણ છે.

હું હિમાલય ઉપર ચડી નથી શકવાનો તે વાસ્તવિકતા છે પણ તેનો મતલબ એ નથી કે હું ગિરનાર-ચોટીલા કે પછી પાવાગઢ ઉપર પણ નહી જ ચડી શકું. વાસ્તવિકતાનો સ્વિકાર કરવો સારો છે પણ તેનો અર્થ તે નથી કે તમે તમારી જાતને અંડર એસ્ટીમેટ કરો. અમે પ્રાથમીકમાં હતા ત્યારે ટેસ્ટ-પેપર લખ્યા પછી જાતે જ ચેક કરવાના રહેતા. અમારા ચેક કરેલા પેપર સર ફરીથી ચેક કરતા ત્યારે બહુ ઓછા લોકોના માર્ક સરે આપેલા માર્ક સાથે મેચ થતા. કારણ ? બસ એક જ અમુક લોકો પોતાની જાતનું અતિ-મુલ્યાંકન કરતા જ્યારે અમુક લઘુ-મુલ્યાંકન કરતા. તમને થશે લઘુ-મુલ્યાંકન(અંડર-એસ્ટીમેટ) માં શું વાંધો ? વાંધો તો કાઇ નહી ચાદર જેવડી સોડ તાંણવી તેવી કહેવત છે પણ પોતાની જાતને અંડર-એસ્ટીમેટ કરવાથી જ ક્યારેક ચાદર લાંબી હોવા છતા આપણે ટુટીયુંવાળી ને સુતા હોઈએ છીએ.

૨૧મી સદીમાં સૌથી વધુ બ્રેકેબલ ચીઝ કઈ ? “ઈગો” હાલતાને ચાલતા ઠેસ પહોચતી હોય અને ભાંગીને ભુક્કો થતો હોય. અહંમ આજે આપણા બધા ને જીવથી પણ વધુ વહાલો છે અને હોવો પણ જોઇએ પણ આ અહંમ ના ચુરે ચુરા બોલવાનું કારણ શું ? અતિ-અપેક્ષા, ટીકીટની લાંબી લાઇન છે અને લાઈનમાં ઉભ્યા વગર ટીકીટ મળી જ જાશે તેવી વધુ પડતી અને અવાસ્તવિક અપેક્ષા રાખી આપણે સિધા જ ટીકીટબારી પાસે પહોચી જાયે ત્યારે પાછળ થી “એય લાઈનમાં આવ” એવું સંભળાય ત્યારે આ “ઈગો” ભાંગીને ભુક્કો થાય છે. આજે હાલતા અને ચાલતા આપણી મહેનતના પ્રમાણમાં વધુ ફળની અપેક્ષા રાખીયે છીએ. ભંગાર લેખ કે કવિતા માટે કોઈ વાસ્તવિક કોમેન્ટ કરે ત્યારે ? આપણને ઇગો સગા દીકરા કરતા પણ વ્હાલો છે પણ ઇચ્છીયે છીએ કે તે સિધો જ કમાતો જ અવતરે, ભીના બાળોતીયા બદલવાની મહેનત જ નથી કરવી.

આ તો થયા મારા તમારા અવગુણો પણ આ અવગુણો એવા છે કે જે સુધરી શકે તેમ છે. બીજા લોકોની તો મને ખબર નથી પણ મે મારી જાતમાં ઘણો ફેરફાર જોયો છે. ગુસ્સો તો મારા નાક ઉપર રહેતો અને અહંમ ડગલેને પગલે ઘવાતો. કાઇક ચેલેન્જ વાળુ કામ હોય ત્યારે “આ તો આપણાથી કેમ થાય ?” કામ હાથમા લેતા પહેલા જ હિંમત હારી જવાતી. એક સમય એવો આવ્યો કે જ્યારે સર્વાઇવલ માટે બદલવું આવશ્યક થઈ પડ્યું. ત્યારે “કા જગ બદલો કા જાત” તેવી પરિસ્થીતીમાં જગ કરતા જાતને બદલવી વધુ સરળ લાગી. પણ તે ખબર કેમ પડે કે જગ બદલવું કે જાત ને ? એક મહીના માટે ડેઇલી ચાર્ટ બનાવ્યો. ગુસ્સો આવે કે અહંમ ઘવાય એક કાળગ પર ટપકાવી લેવાનું કારણ સહીત રાત્રે સુતા પહેલા ૧૦૦ % ઇમાનદારી થી ઠંડા મગજે તે ચાર્ટનું પૃથ્થકરણ કરવાનું ૧૦ માથી ૭ કે ૮ વખતે વાંક આપડો જ હોય. બીજુ એક જ પ્રકારની પરિસ્થીતીમાં વખતો વખત ગુસ્સે થવુ તેના કરતા તે પરિસ્થીતીને અનુકુળ થવું વધુ સારૂ નથી ? પ્રયાસ કરવા જેવો નથી ?

-: સિલી પોઇન્ટ :-

“ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ” ઇન્ડીયામાં, અમુક અનઓફીસીયલ રેકોર્ડ

૧. વડાપ્રધાન તરીકે ના કાર્યકાળ દરમ્યાન સૌથી વધુ કોંભાંડનો રેકોર્ડ – ડો. મનમોહનસિંહ(?) જો કે જુનો રેકોર્ડ પી.વી.નરસિંમ્હા રાવ વખતે તેઓ શ્રી નાણાપ્રધાન હતા એટલે તેનો પણ સરવાળો કરવામાં આવે તો…. :P L

૨. સૌથી વધુ વખત દેશની માફી માંગવાનો રેકોર્ડ – વન્સ અગેઇન ડો.મનમોહનસિંહ(?)

૩. સૌથી ઝડપી ખર્વોપતી (આજકાલ લાખ-કરોડની તો વાત જ ક્યાં થાય છે) બનવાનો રેકોર્ડ –હસનાલી

૪. સૌથી વધુ ગાજર લડકાવવાનો રેકોર્ડ – UPA સરકાર અને તે ગાજરનો ભ્રષ્ટાચાર કરી જાતે જ ખાય જવાના.

2 comments:

  1. dost , apnane ego vagar pani chalvanu ane gussa vagar pan ! transformation is a very slow process .it may take years together. lets try , lets keep aspiring. lets be fully devoted and surrendered to the divine.dilip mehta

    ReplyDelete
  2. "ઈગો" વાળી વાત બહુ સાચી લાગી જાગ્રતભાઈ !
    અને એ સમજવા છતાં મોટેભાગે નાની નાની વાતોમાં મારો પણ ઈગો હર્ટ થયા વગર નથી રહેતો...
    કદાચ આ જ છે "જાતને ઓવર એસ્ટીમેટ કરવી !"
    "લોકો મને કંઈ કહી શેના જાય ?"- એવી માનસિકતા હંમેશા જાતને જ અસંતોષ આપે છે... લોકોની જીભને બંધ નથી કરતી...

    ReplyDelete